ગયી કાલે હું આક્રોશ નામની હિન્દી ફિલ્મ જોઈ રહ્યો હતો . આ ફિલ્મ જોતી વખતે મને સ્મીથા નરુલા લિખિત પુસ્તક " The broken peoples " યાદ આવ્યું. આ પુસ્તક માં દર્શાવેલ હ્યુમન રાઈટ્સ ના અહેવાલ ની સરખામણી એ ઉપરોક્ત ફિલ્મ માં વિષય વસ્તુ અને ઘટનાઓ ને ઘણી હળવાશ થી દર્શાવવા માં આવી છે. કારણ કદાચ આવું હોઈ શકે કે "જો દલિત .પછાત અને અન્ય શોષિત પ્રજા પર થયી રહેલા અત્યાચારો ને આબેહુબ અને ગંભીરતા પૂર્વક દર્શાવવા માં આવે તો જનતા પર તેની નકારાત્મક અસરો પડે". એવો વાંધો સેન્સર બોર્ડ દ્વારા ઉઠાવવા માં આવે.. જો આ કારણ ખરે ખર સાચું હોય તો મને એ સવાલ થાય છે કે, વાસ્તવિક પરિસ્થિતિ માં જયારે લોકો પર આવા અત્યાચારો થતા હશે ત્યારે વાંધો ઉઠાવનાર વર્ગ કેમ અપેક્ષા કરતા ઓછો હોય છે? અને શું આ જીવંત ઘટનાઓ અને બનાવો ની નકારાત્મક અસરો લોકો પર નહિ થતી હોય???
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો