Jeetendra sagar

Jeetendra sagar

મંગળવાર, 31 મે, 2011

શીદ ને પીવે રે, શીદ ને પીવે રે ...

     શીદ  ને પીવે રે,   શીદ ને પીવે રે  છાટોક  દારૂડિયો રે શીદ ને પીવે રે.... 

   તે તો ખેતર વેચી ને દારુ પીધો , તે તો બળદ વેચીને દારુ પીધો ,
   તે તો નાર કેરા ઘરેણા વેચ્યા , દારુડીયો શીદ ને પીવે રે...
                               એને જીંથરી ભેગો કરો , દારુડો શીદ ને પીવે રે...  શીદને પીવે રે... 
  શીદને ખાવે રે શીદને ખાવે રે ઝેરી માવા તમાકુ શીદ ને ખાવે રે 
  તારા મોઢા માં ચાંદા પડશે , તારા ફેફસા સડી જશે 
                             એને સિવિલ ભેગો કરો , તમાકુ શીદ ને ખાવે રે 
શીદને પીવે રે બીડી સિગારેટ  શીદ ને પીવે રે ...
તને કલેજે કાણા પડશે, તને શ્વાશનું દરદ થશે.. 
                            એ નક્કી ટીબી માં જશે ... સિગારેટ શીદ ને પીવે રે 
તારા નિત નિત ટાંટિયા તુટશે ,તને શરીર માં કળતર થશે 
તારા સગા સંબંધી રોવે , તેતો આબરૂ મૂકી નેવે...  વ્યસન આવા શીદ ને કરે રે... 

હું છેલ્લા ૧૪ વર્ષ થી નવસર્જન નામ ની સંસ્થા સાથે જોડાઈ ને ભેદભાવ ની સામે અસહકાર નું જે આંદોલન  છે એમાં મારું યોગદાન આપી રહ્યો છું. હું પોતે માત્ર ધોરણ ૮ સુધી જ ભણેલો છું છતાં મારા અનુભવો ને આધારે હું કવિતા ઓ લખું છું અને સામાજિક પ્રશ્નો  લઇ ને લોકો ની સાથે હું લડત આપું છું .. હાલ માં હું નવસર્જન વિદ્યાલય કટારીયા મુકામે મેનજર તરીકે ફરજ બજાવું છું....

                                                                                             - મનજી કે જાદવ

બુધવાર, 4 મે, 2011

True story of Village


આ છે લીંબડી તાલુકા ના ફૂલવાડી ગામ ની વાસ્તવિકતા ,આજાદી ના ૬૩ વર્ષ પછી પણ આ ગામ ની મહિલા ઓ ને દરરોજ  પોતાના જીવન ના ૪ કલાકો માત્ર પાણી ભરવા પાછળ ખર્ચ  કરવા પડે છે . નોંધનીય  બાબત તો એ છે કે આ ગામ ના સરપંચ એક મહિલા છે. અને  એ પણ એક દલિત મહિલા સરપંચ છે. આ ગામ માં સ્થાનિક  ધોરણે પીવા ના પાણી નો કોઈ સ્ત્રોત નથી.  હા, આ ગામ માં પાણી આવે છે જરૂર પણ માત્ર એવા લોકો ના ઘેર કે જેઓ  કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષ ને સમર્થન આપે છે.  આ   ફોટો માં  જે મહિલાઓ પાણી ભારે છે તે કોઈ જાહેર પાણી નો સ્ત્રોત નથી  પરંતુ સંજોગો વસાત   પાણી ની પાઈપ તૂટી ગયી હોવાથી  ગામ ની મહિલાઓ ત્યાંથી પાણી ભરે છે . જે આ  મહિલાઓ  માટે  ખુબજ સદભાગ્યની વાત છે.
       જયારે આ પાણી ના પ્રશ્ન માટે સરપંચ ની મુલાકાત લેવામાં આવી ત્યારે  સરપંચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે ગામ લોકો ની સાથે સાથે ગ્રામપંચાયત દ્વારા પણ અનેક વાર તાલુકા કક્ષાએ તથા જીલ્લા કક્ષા એ  રજૂઆત કરવા માં આવી છે પણ  આ ગામ ની  સમસ્યા બાબતે તાલુકા કે જીલ્લા કક્ષા ના અધિકારીઓ ને  રસ નથી કેમ કે  આ ગામ ના સરપંચ  એવા રાજકીય પક્ષ નેસમર્થ  આપે છે જ તાલુકા કક્ષા એ  વિરોધ પક્ષ માં છે .  માત્ર આ રાજકીય લોકો ના સંઘર્ષ માં  આખા ગામ ના લોકો પાણી ના ટીપે ટીપા માટે સંઘર્ષ કરીરહ્યા છે .
      જો પાણી ની તૂટેલી પાઈપ માંથી જો  પાણી મળી જાય તો એ ખુબ જ  સદભાગ્ય કહેવાય... નહીતર આ ગામ ની મહિલાઓ ને  પાણી ભરવા માટે ગામ થી  દૂર આશરે ત્રણ કિલોમીટર   સુધી પગે ચાલીને પાણી ભરવું પડે છે . અને  એવું નથી કે આ ગામ માં પાણી માટે કોઈ વ્યવસ્થા નથી  ઘરે ઘરે નળ કનેક્શન આપેલા સે  પણ પાણી લોકો ના ઘર સુધી પહોચે ત્યાં સુધીમાં તો  ગામ ના સ્થાપિત હિતો દ્વારા બધુજ પાણી ઇલેક્ટ્રિક મોટર દ્વારા ખેંચી લેવામાં આવે છે . અને આ બાબતે  ગામ ના સરપંચ પણ કઈ કરી શકતા નથી  કેમકે ઉપર થી આવતું રાજકીય દબાણ ને લીધે  આ ગામ ના  મહિલા સરપંચ ની વાત પણ કોઈ સાંભળતું નથી . અને  જયારે જયારે આ  પ્રશ્ન  ની સામે લડત આપવા સંગઠન બનાવવા ની વાત  કરવામાં આવે ત્યારે જ્ઞાતિ પ્રથા ,ભેદભાવ જેવા મોટા પડકારો સામે આવીને ઉભા રહે છે  કેમકે  સરપંચ  એક દલિત છે. અને વધુ માં રાજકીય દબાણ...  
     જયારે પીવાના પાણી માટે  મનુષ્યે  આટલો સંઘર્ષ કરવો પડે છે ત્યારે  પશુ પંખીઓ ની તો વાત જ ક્યાં રહી.. એક સ્થાનિક  સર્વે મુજબ  આ ગામ માં લગભગ ૪૦ જેટલા મોર રહેતા હતા . પરંતુ ગામ ની પાણી ની સમસ્યા જેમે જેમ વિકટ બની તેમ તેમ આ ગામ માંથી મોર ની સંખ્યા ઘટી ગયી અને હાલ માતો કોઈ મોર જોવા મળતો નથી .
આ માત્ર એક ગામ ની કહાની નથી . લીંબડી , સાયલા, અને નળકાંઠા વિસ્તાર ના મોટાભાગ ના ગામો માં આવીજ પરિસ્થિતિ છે.  અને તેના માથે મુખ્યત્વે જવાબદાર છે આ રાજકારણ !!!!!   મારા મત અનુસાર જો રાજકારણ લોકો ના હિત માટે કરવામાં આવે  તો એમાં કઈ ખરાબી નથી પણ  માત્ર પોતાના સ્વાર્થ  ખાતર લોક હિત ને જોખમ માં મુકવાનું  જે છીછરું રાજ કારણ  કરવામાં આવે છે તે જ  ખરેખર  રાજ કારણ ને ગંદુ બનાવે છે
 

રવિવાર, 1 મે, 2011

Akrosh

        ગયી કાલે હું આક્રોશ  નામની હિન્દી ફિલ્મ જોઈ રહ્યો હતો . આ ફિલ્મ જોતી વખતે મને સ્મીથા  નરુલા લિખિત પુસ્તક " The broken peoples "  યાદ આવ્યું. આ પુસ્તક માં દર્શાવેલ હ્યુમન રાઈટ્સ ના અહેવાલ ની સરખામણી એ ઉપરોક્ત ફિલ્મ માં વિષય વસ્તુ અને  ઘટનાઓ ને  ઘણી હળવાશ થી દર્શાવવા માં આવી છે. કારણ કદાચ આવું હોઈ શકે કે "જો દલિત .પછાત અને અન્ય શોષિત પ્રજા પર થયી રહેલા અત્યાચારો ને આબેહુબ અને ગંભીરતા પૂર્વક દર્શાવવા માં આવે  તો જનતા પર તેની નકારાત્મક અસરો પડે". એવો વાંધો સેન્સર બોર્ડ દ્વારા ઉઠાવવા માં આવે.. જો આ કારણ ખરે ખર સાચું હોય તો  મને એ  સવાલ થાય છે કે, વાસ્તવિક  પરિસ્થિતિ માં જયારે  લોકો પર આવા અત્યાચારો થતા હશે ત્યારે વાંધો ઉઠાવનાર વર્ગ કેમ અપેક્ષા  કરતા ઓછો હોય છે?  અને શું આ જીવંત ઘટનાઓ અને બનાવો ની નકારાત્મક અસરો લોકો પર નહિ થતી હોય???


શનિવાર, 30 એપ્રિલ, 2011

ડાહ્યા હોવાનો મતલબ એવો નથી કે મો મા જીભ નથી

ગામમાં ઓછુ બોલે, સામુહીક કાર્યમા માથુ ના મારે, અને હંમેશા વશ મા રહે એટલે એ માણસ ડાહ્યો ગણાયં. અને આવા ડાહ્યા માણસો નુ પાત્ર મોટે ભાગે કોઇ તાંત્રિક નિ પાસે વિધિ કરાવવા ગયેલા અંધશ્રદ્ધાળુ ભકતને જેમ તમામ તર્ક બુદ્ધિને તાળા મારીને તાંત્રિકનિ વાત માનવી પડે છેં એમ એના જેવુ બની રહે છે. આવા ડાહ્યા માણસો કેટલાક કહેવાતા અને બહુ ચર્ચીત આગેવાનોની વાતોને અનુસરતા હોય છે.